Skip to main content

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળ સુરખાઇ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬ મું વાર્ષિક દ્વિવાર્ષિક સંમેલન.

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળ સુરખાઇ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૬ મું વાર્ષિક દ્વિવાર્ષિક સંમેલન.

તારીખ : ૨૬-૧૨-૨૦૨૧ 

નવસારીઃ રવિવારઃ ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળ સુરખાઇ ખાતે ૧૬ મું વાર્ષિક દ્વિવાર્ષિક સંમેલન રાજયના આદિજાતિ વિકાસના મંત્રીશ્રી નરેશભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. 

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળના પ્રમુખશ્રી રાજુભાઇ પટેલે સમાજને સંગઠિત કરવાના કાર્યની શરૂઆત કરી આજે સમાજ વટવૃક્ષ બની આગળ વધ્યો છે. તેમજ સમાજનો કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવો જાઇઍ. સમાજમાં સામાજીક કુરિવાજા વ્યસનની બદીઓ દૂર કરી આદર્શ સમાજનું ઘડતર કરી, ધોડિયા સમાજને વધુમાં વધુ શિક્ષિત અને સંગઠિત બનાવવા અનુરોધ કર્યો હતો. સમાજના આગેવાનો સમાજના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું હતું. ધોડિયા જ્ઞાતિમંડળનો મુખ્ય ઉદેશ આવનાર પેઢીને સંગઠિત, શિક્ષિત, સ્વાવલંબી, અને સ્વરોજગાર બનાવવાનું આયોજન છે. મંત્રીશ્રીઍે સમાજને સંગઠિત કરનાર તમામ આદિવાસી સમાજના આગેવાનોને અભિનંદન પાઠવ્યાં હતાં. સમાજના વિકાસમાં સહયોગ આપનાર તમામ દાતાઓનો ઙ્ગણ સ્વીકાર કર્યો હતો.


આ પ્રસંગે સુમલ સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહ પટેલે ધોડિયા સમાજના શિક્ષિત લોકો ભેગા થઇ ગરીબ પરિવારના દિકરી-દિકરીઓને શિક્ષણ મળી રહે તે માટે મદદ કરવા જણાવ્યું હતું. તેમજ સમાજમાંથી કુરિવાજા અને વ્યસન મુકત બને તેવો અનુરોધ કર્યો હતો. શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળના પ્રમુખશ્રી અને તેમની ટીમની કામગીરીને બિરદાવી હતી.

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળના પ્રમુખશ્રી રાજુભાઇ પટેલે મહેમાનોને આવકારી ધોડિયા જ્ઞાતિમંડળની ટુંકમાં રૂપરેખા આપી હતી

આ અવસરે શ્રી ઍ.કે.પટેલ, શ્રી ઍસ.કે.પટેલ તથા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.પ્રદિપભાઇ ગરાસીયાઍ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

શ્રી જ્ઞાન કિરણ ધોડિયા જ્ઞાતિમંડળ સુરખાઇ ખાતે આધુનિક લાયબ્રેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. તેમજ તેજસ્વી બાળકો તથા વિવિધક્ષેત્રે સેવા આપનાર ધોડિયા સમાજના તમામ લોકોને મંત્રીશ્રી પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તથા શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતાં.

આ પ્રસંગે ધોડિયા સમાજના અગ્રણી શ્રી સુરેશભાઇ પટેલ, ડો.ઍ.જી.પટેલ, શ્રી ધનસુખભાઇ પટેલ, ગુણંવતભાઇ પટેલ, શ્રી રાજેશભાઇ પટેલ, શ્રી મહેશભાઇ પટેલ, શ્રી કેશવભાઇ પટેલ તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતાં. 

Comments

Popular posts from this blog

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌર...

સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર

 સાફલ્ય ગાથાઃ ફ્રી શીપ કાર્ડ યોજના વલસાડ જિલ્લાની ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ માટે બની તારણહાર સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનુ પુરૂ કર્યુઃ ડો. દર્શના પટેલ કપરાડાની યુવતીએ વલસાડ મેડિકલ કોલેજમાં એક પણ રૂપિયો ફી ભર્યા વગર મેળવી એમબીબીએસની ડિગ્રી હાલ ડો. દર્શના પટેલ પીંડવળ સીએચસીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે  આલેખનઃ જિજ્ઞેશ સોલંકી માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૨ જુલાઈ ‘‘સરકાર તમારા આંગણે...’’ આ સ્લોગન આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના મુખેથી અવરનવર જાહેર કાર્યક્રમોમાં સાંભળતા હોય છે પરંતુ જ્યારે પ્રજાના મુખે આ સ્લોગન બોલવામાં આવે ત્યારે તેની સાર્થકતા થઈ કહેવાય. સરકાર માટે ઉપલ્બિધી સમાન કહી શકાય તેવી આવી જ કંઈક ઘટના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કોઠાર ગામમાં બની હતી. સરકારની ફ્રી શીપ કાર્ડ યોજનાનો લાભ લઈ ડોકટર થયેલી લાભાર્થી યુવતી કહે છે કે, ‘‘સરકાર સામે ચાલીને અમારા આંગણે આવી અને મારૂ સપનું પુરૂ કર્યુ...’’ ત્યારે આવો જાણીએ કે, ગરીબ આદિવાસી સમાજની દીકરી અને તેના પરિવારની સંઘર્ષની કહાનીમાં રાજ્ય સરકાર કેવી રીતે ...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્ય...