Skip to main content

Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

      Valsad : ગ્રુપ દાન | બર્થડે કે લગ્ન તિથિએ દાન કરી ગરીબ બાળકોને શિક્ષણ : દિવ્ય ભાસ્કર રિપોર્ટ

 સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર સમય પસાર કરવા માટે નહિ પરંતુ સમાજસેવા કરવાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. વોટસઅપ ગ્રુપ થકી ચાલતી સમાજસેવાની અનોખી પહેલથી અનેક ગરીબ બાળકોના ભાવિમાં ઉજાસ પથરાયો છે તો ગરીબ પરિવારોને આર્થિક રીતે મદદરૂપ બન્યું છે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ.

ગરીબ બાળકોના ભણતરમાં ખરાબ આર્થિક સ્થિતિને લીધે થતા ભણતરના સૂર્યાસ્તને સૂર્યોદયમાં ફેરવવા તેમજ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરવાના સપના જોતા ગરીબ બાળકોના સપના પૂર્ણ કરવાના સંકલ્પ સાથે જાગૃત શિક્ષિત

યુવાનોનું સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ કામ કરી રહ્યું છે. ગરીબ બાળકોના ભણતર માટે આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા બાળકોના ભણતર માટે એક અનોખી પહેલ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આશરે 8- 9 મહિના પહેલા કરવામાં આવી હતી. જેમાં વિવિધ વર્ગના કર્મચારીઓ જેઓ ગરીબીમાંથી ઊછરી શિક્ષણના પ્રકાશ થકી નોકરી મેળવી અને

સમાજમાં પગભર થયા તેઓએ એક વિચાર સંકલ્પ દ્વારા નક્કી કર્યું કે આપણે સૌ ભેગા મળી જરૂરિયાતમંદ બાળકોને સહાય પૂરી પાડવી જોઈએ. જે સમાજના દાખલા ઉપર નોકરી મળી છે તે સમાજનો ઋણ ચૂકવવા માટે થઈને આ ગ્રુપની રચના થઈ હતી. કોઈનોજન્મદિવસ હોય કોઈની મૃત્યુતિથિ હોય કોઈની લગ્ન વર્ષગાંઠ હોય કોઈ પરીક્ષામાં પાસ થયું હોય જેવા વગેરે સંદર્ભ એક યાદગીરી રૂપે એક સ્મૃતિ ભેટ રૂપે યથા યોગ્ય સહાય

આપવામાં માટે આગળ આવ્યા અને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપની થઈ હતી. આદિવાસી સમાજમાં ઉચ્ચ અભ્યાસ કરતા તેજસ્વી તારલાઓ કે જેઓ આર્થિક રીતે નબળા હોય પરંતુ ઉચ્ચ અભ્યાસની ધગશ હોય અને ફી ભરવાની પરિસ્થિતિ ન હોય તેઓ માટે નાની મોટી સહાય 20,000 રૂપિયાની મર્યાદામાં ગ્રુપ દ્વારા કરવામાં આવી રહી છે. તાપી જિલ્લાના શિક્ષક રૂપેશ પટેલ સંકલ્પ ગ્રુપ સાથે જોડાઈને જણાવી રહ્યા છે વિના સહકાર નહિ ઉદ્ધાર, આર્થિક રીતે પગભર થયેલ લોકોએઆર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની સીડી બનાવાની જરૂર છે. હવે શિક્ષકો વધુને વધુ ગ્રુપમાં જોડાઈ રહ્યા જે સારી બાબત છે.

વલસાડ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ-નવસારી જેવા આદિવાસી પટ્ટામાં અભ્યાસ કરતા બાળકોને સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ સહાય પૂરી પાડે છે. સંકલ્પએજ્યુકેશન ગ્રુપ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરી વોટસઅપ ગ્રુપ થકી ચાલી રહ્યો છે કે જેમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે સમાજ માટે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ છે. સંકલ્પ એજ્યુકેશનના નવ ગ્રુપ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે.

શું છે સંકલ્પગ્રુપનો સંકલ્પ?

■હોસ્ટેલ કે આશ્રમશાળામાં બાળકોમાં ગરીબ બાળકોની માહિતી લઈ એમને મદદ જેવી કે, નોટબુક,ઓઢવા ધાબળા ચાદર, ભણતર કીટ, જે બાળકોને પાસે નવનીત કે ગાઈડ ન હોય તો તે કરવી. પ્રાથમિક સ્કૂલમાં બાળકીઓને સેનેટરી વસ્તુ, જેમના મા-બાપ ન હોય એમની જશે એમને મદદ જેથી આપણા સમાજમાં ભણતર ન છોડે એટલા માટે મદદ કરવી. કોઈ નું ઘર બળી જાય કે પુર નુકશાન - વગેરે તો અનાજ કીટ કે વાસણો લઈ આપી ને મદદ કરવી હોસ્પિટલમાં જો..આર્થિક રીતે નબળા હોય તો તેમને મદદ તો સાથોસાથ એકલા રહેતા વડીલ હોય એમની મદદ આર્થિક રીતે નબળા પરિવારના બાળકો ફી નહિ ભરી શક્તા હોય એમની ફી ભરવી. હાલ આ ગૃપ શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યું છે.

આ પ્રસંગે લોકોની મદદ મળે છે.

સંકલ્પ એજ્યુકેશનના વોટ્સ અપ ગ્રુપના સભ્યો જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠ હોય કે અશુભ પ્રસંગે સ્વેચ્છાએ રૂપિયા 500થી લઈને 5000 સુધી ગ્રુપને આપે છે. એ જ રૂપિયા ગરીબ બાળકો સુધી કે જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચી રહ્યા છે. મક્કમ ગતિએ થયેલી શરૂઆત આવનાર દિવસોમાં સામજ સેવાનું વટવૃક્ષ બની તેમાં કોઈ બે મત નથી.

સમાજસેવાનું સારૂ આયોજન શિક્ષણ સિવાય આપણાં સમાજનો ઉદ્ધાર અધુરો છે.

આવનાર પેઢીને શિક્ષણ આપીશું તો જ આગળ વધશે નહિતર આર્થિક રીતે નબળો વર્ગ વધુ નબળો બનશે. નોકરી કરતા મિત્રો મહિને 100 રૂપિયાની જ મદદ કરશે તો પણ ઘણી બધી સમાજસેવાનું સારું આયોજન થઈ શકે એમ છે. હાલમાં આ સેવાકિય પ્રવૃતિનો મહત્તમ લાભ ગરીબ વિદ્યાર્થી લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં અન્ય સહાય માટે પણ વિચાર કરાશે. 

મીનેશ પટેલ (નવસારી મહુડી), સંકલ્પ એજ્યુકેશન ગ્રુપ

Post credit : Divya Bhaskar,(Mehul Patel) (03-06-2024)

Comments

Popular posts from this blog

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌર...

NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

                NAVSARI (AB SCHOOL): નવસારીની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી ધોડિયા સમાજની દિકરી ઋષિતા ઉમેશભાઈ પટેલ સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નવસારીના ૪૭, સાંઈ ગાર્ડન  સોસાઈટી એરૂનાં રહેવાસી અને નવસારીમાં પોલીસ કોન્સ્ટેબલની ફરજ બજાવતા ઉમેશભાઈ મંગુભાઇ પટેલ અને ટીનાબેન પટેલની દિકરી ઋષિતા નવસારીની એ બી સ્કૂલમાં અભ્યાસ કરે છે. અભ્યાસમાં હોંશિયાર દિકરી ઋષિતાએ ધોરણ -૧૦ની પરીક્ષામાં  રાજ્ય અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમા સ્થાન મેળવી સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ અને વતનનું નામ રોશન કર્યું છે. સમસ્ત આદિવાસી ધોડિયા સમાજ વતી દીકરીને હાર્દિક શુભકામનાઓ. નવસારી જિલ્લામાં ધો. ૧૦ની પરીક્ષામાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર ૫૭૬ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૧ એ.બી. સ્કૂલના વિદ્યાર્થીઓ છે. ધો. ૧૨ની જેમ એ.બી. સ્કૂલે ધો. ૧૦ની પરીક્ષામાં પણ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. એ.બી. સ્કૂલની  વિદ્યાર્થીની અને    ઋષિતા ઉમેશ પટેલે ૬૦૦માંથી ૫૯૨ ગુણ સાથે ૯૮.૬૭ ટકા મેળવી સમગ્ર રાજ્યમાં અને નવસારી જિલ્લામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્ય...

શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ : ડૉ.વર્ષાબહેન પટેલ.

   દીકરા કાવ્ય સાથે ડૉ. વર્ષાબેન પટેલ દક્ષિણ ગુજરાતમાં ધરમપુર એટલે આદિવાસી વિસ્તાર. વર્ષોથી વિકાસ, પ્રગતિ, ઉત્કર્ષની પ્રતિક્ષા કરતો પંથક. પ્રકૃતિ મન મૂકીને અહીં વરસી છે. લીલોતરીને હરિયાળી જોઈને આંખો જ નહીં, હૈયું પણ કરે. જોકે અહીં રહેલાં ભલ-ભોળાં સ્ત્રી-પુરુષોની સ્થિતિ ચિંતા ને ચિંતન કરાવે. નિયતિ કે ઈશ્વરને પ્રશ્ન પૂછવાનું મન થાય કે તું ગરીબો સાથે કેમ ક્રૂરતાથી વર્તે છે? આવી વિકટ, પડકારોથી ભરેલી સ્થિતિમાંથ કેટલીક આદિવાસી યુવતીઓ પોતાના જીવનની એવી સરસ ગૂંથણી કરે કે સલામ મારવાનું મન થાય. એવાં જ છે એક વર્ષાબહેન પટેલ. વર્ષાબહેન પટેલ શિક્ષિકા, આચાર્યા અને સમાજને પ્રતિબદ્ધ વ્યક્તિ, ધરમપુરના માલનપાડાની મોડેલ સ્કૂલમાં તેઓ આચાર્યા તરીકે ફરજ બજાવે છે. તેમનું જીવન જેટલું પ્રેરક છે, તેટલું જ રસપ્રદ છે. આદિવાસી સમાજની એક છોકરી ભણવામાં તેજસ્વી અને ગંભીર હોય તો કેવું સુંદર પરિણામ લાવે તે તેમના જીવન અને કવનમાંથી જોવા મળે. તેમનું વતન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનું ભીનાર નામનું નાનકડું ગામ. માતા લલિતાબહેન અને પિતા બાલુભાઈ. પિતાને સાઇકલનું સમારકામ કરવાની દુકાન. સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતો પરિવા...